અયોધ્યામાં દિવાળીનો શુભારંભ થઈ ગયો છે. શ્રી રામની નગરીમાં એક સાથે આરતી કરનારા અને સૌથી વધુ સંખ્યામાં દીવા પ્રગટાવનારા લોકો માટે બે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’બન્યા છે. એક સાથે 55 ઘાટ પર કુલ 25 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા છે.
આ સાથે જ એક મહા રેકોર્ડ બની ગયો છે. જેમાં 25 લાખ 12 હજાર 585 દિવા પ્રગટાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવ્યું છે જ્યારે અન્ય એક રેકોર્ડ અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર અને સરયુ આરતી સમિતિ સૌથી વધુ સંખ્યામાં 1,121 લોકો દ્વારા આરતી કરવા માટે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ બન્યો છે.
500 વર્ષ બાદ એવું બન્યું છે કે, રામલલાની હાજરીમાં અયોધ્યા વાસી દિવાળી મનાવી રહ્યા છે. આ વર્ષે ભગવાન રામ બિરાજમાન થયા બાદ પહેલી વાર 25 લાખ દિવાથી 55 ઘાટ ઝગમગી ઉઠ્યા છે. ભગવાન રામની પાઘડીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. સરયૂ ઘાટ દિવાઓથી ઝગમગી ઉઠતા ઉદ્ભુત નજારો જોવા મળ્યો હતો.