ગુજરાતભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્રોડની ઘટના બની રહી છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટથી સાવધાન રહેવા જણાવ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, તમામ શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્ર્સ્ટની ઓફિશિયલ વેબસાઈટ http://somnath.org પરથી ઓનલાઈન બુકિંગ કરવું. જ્યારે ટ્રસ્ટ દ્વારા કોઈપણ ઓનલાઈન વોટ્સએપ, QR કોડના માધ્યમથી પૈસા માંગવામાં આવતા નથી. આ ઉપરાંત, ટેલીફોનિક કે અન્ય કોઈ રીતે બુકિંગ થતું નથી, માત્રને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે.