વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવે તેવા અહેવાલ સામે આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.
આ મહોત્સવમાં પીએમ મોદી હાજર રહી શકે છે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ મહોત્સવમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ, 7મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી છે અને આ જ દિવસે બીએપીએસ સંસ્થા દ્વારા અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં એક લાખ કાર્યકરો હાજર રહેશે, તેમજ આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહી શકે છે.