By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > અજબ-ગજબ > અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો
અજબ-ગજબ

અજબ-ગજબ : માણસનો વફાદાર મિત્ર કેમ બની ગયો દુશ્મન?, ચોંકાવનારો છે આંકડો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 9, 2024 11:23 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
Oplus_131072
SHARE

દેશમાં દર પાંચ વર્ષે પશુઓ અને રખડતા પ્રાણીઓની ગણતરી થાય છે. વર્ષ 2019માં થયેલી ગણતરી મુજબ શ્વાનની સંખ્યા 1.53 કરોડ હતી. વર્ષ 2012ની તુલનામાં તેમાં ઘટાડો થયો છે, 2012માં આ સંખ્યા 1.71 કરોડ હતી. 2019 થી 2022 દરમ્યાન શ્વાન કરડવાના 1.5 કરોડ કેસ સંસદમાં ભારત સરકાર તરફથી રજુ કરવામાં આવ્યા હતા. અર્થાત દરરોજ સરેરાશ લગભગ 10 હજાર કેસ નોંધાય છે. 2022માં એકલા દિલ્હીમાં જ શ્વાન કરડવાનાં 5559 કેસ નોંધાયા હતા.


ગુજરાતમાં પણ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં રખડતા શ્વાન, રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 12,55,066 લોકોને શ્વાન કરડવાની ઘટનો સામે આવી છે. વર્ષ 2022-23માં શ્વાન કરડવાના બનાવની વાત કરવામાં આવે તો 1 લાખ 14 હજારથી વધુ શ્વાન કરડવાના બનાવો બન્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 નગરિકોના મૃત્યુ પણ થયા છે.

ગુજરાતમાં પણ વધ્યા શ્વાનના હુમલા

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનના હુમલાઓ સામે આવ્યા છે. શહેરમાં હાલ ૩.૭૫ લાખ જેટલી શ્વાનની વસ્તી છે. ત્રણ વર્ષમાં શ્વાન કરડવાનાં ૧.૬૩ લાખથી વધુ બનાવ બનવા પામ્યા છે. હાલમાં શહેરમાં રખડતા શ્વાન કરડવાના રોજ ૨૦૦ બનાવ બની રહયા છે. શ્વાન કરડવાના વર્ષ-૨૦૨૦માં ૫૨,૩૧૮, વર્ષ-૨૦૨૧માં ૫૧૮૧૨ અને વર્ષ-૨૦૨૨માં ૫૯૫૧૩ કેસ મળી ત્રણ વર્ષમાં શ્વાન કરડવાના કુલ ૧,૬૩,૬૪૩ કેસ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં નોંધાવા પામ્યા છે. ખાસ કરીને નાના બાળકો અને બાળકીઓ પર શ્વાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ વધી છે.

વધતા જતા શ્વાનના હુમલાઓ બાબતે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા ૨૦૨૦-૨૧ માં ૨.૩૦ કરોડ, ૨૦૨૧-૨૨ માં ૨.૫૬ કરોડ અને ૨૦૨૨-૨૩ માં ૪.૫૦ કરોડ રૂપિયા મળી કુલ ૯.૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત સામે આવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, દર વર્ષે 28 સપ્ટેમ્બરના વિશ્વ હડકવા (રેબીસ) દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે શ્વાન સહિત અન્ય પશુ-પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં હડકવા થવાની સંભાવના છે. હડકવા એક પ્રકારના વાયરસથી ફેલાય છે. પ્રાણીઓની લાળમાં એના વાયરસ રહેલા હોય છે. જયારે પ્રાણી કોઇ મનુષ્યને કરડે તેનામાં હડકવાના કોઇ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ જો એની લાળમાં હડકવાના વાયરસ હોય તો જે કોઇ વ્યકિતને કરડે ત્યારે તેના શરીર પર ઘાવ બને અને તે ઘાવમાં લાળમાંથી હડકવાના વાયરસ વ્યકિતના શરીરમાં દાખલ થઇ જાય છે.

You Might Also Like

એરપોર્ટ પર બે વિમાન અથડાયા, વિયેતનામમાં પ્લેન અકસ્માતનો વીડિયો આવ્યો સામે

‘કાંટા લગા’ ગર્લ શેફાલીના નિધન બાદ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે જગતના નાથ, રથયાત્રાને લઈ તંત્ર અને પોલીસ સતર્ક

‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ – દીપડાએ હુમલો કર્યો પણ યુવક હાર ના માન્યો, 5 મિનિટ સુધી લડતો રહ્યો

ચાઈનીઝ મચ્છર! ચીનાઓ ન કરે એટલું ઓછું, હવે મચ્છર સાઈઝનું ડ્રોન બનાવ્યું

TAGGED: #ajabgajab, #dog, #dogattack, #news, #vibesofpositivity
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?