ખેડાના ડાકોરમાં ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી, ત્યારે ગોપાષ્ટમીના પાવન પર્વ પર ગૌધન ડાકોરની પરિક્રમા કરી રણછોડજી મંદિર પરિસરમા ભંડારી બાબા દ્વારા પૂજા કરી તેમને કંસાર ઘી તેમજ ઘૂઘરી જમાડવામાં આવે છે.. જેમાંથી પાંચ ગાયોની પૂજા કરી આ રીતે વર્ષોની પરંપરા ચાલી આવે છે. ત્યારબાદ ગાયોના ધણને શ્રીજીની ગોશાળા પરત લઈ જવાય છે.
સામાન્ય દિવસોમાં ડાકોર સ્થિત શ્રીરણછોડરાય મહારાજ મંદિરની ગાયો, ગાયોના વાડા તરીકે ઓળખાતા વિશાળ વનમાં ચરવા જાય છે. અને બપોરે પરત ફરે છે. ગોપાષ્ટમીના દિવસે મંદિરની તમામ ગાયો નગરચર્યાએ નીકળી હોય તેમ ગોમતી પરિક્રમા કરીને ડાકોર મંદિરે આવે છે. આ દિવસે પણ બેસતા વર્ષની જેમ જ શ્રીરણછોડરાયજી મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવે છે.