બીએપીએસ સંસ્થાના વર્તમાન પ્રમુખ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગાંધીનગર અક્ષરધામમાં શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગાંધીનગર સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો.
બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો તેમજ હરિભક્તોની ઉપસ્થિતિમાં આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. જેમાં મહંત સ્વામી દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર ધામ, પંચ કેદાર, પંચસરોવર, સાત પૂરી, સાત બદરી, સાત ક્ષેત્રો, આઠ વિનાયક તીર્થો, નવ અરણ્યક, બાર મહા સંગમો, એકાવન શકિતપીઠો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત છ મંદિરો, બીએપીએસના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત 5 મંદિરો, તેમજ બીએપીએસની ગુરૂપરંપરા દ્વારા સ્થાપિત મંદિરો સહિત અનેક તીર્થોમાંના પવિત્ર જળ વડે વિધિ કરવામાં આવી હતી