ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદ થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ‘વહેલા વાસી થતા ખાદ્ય ખોરાકો’ને લઈ નવો નિયમ જાહેર કર્યો છે.
FSSAIના નિર્દેશ મુજબ, ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વહેલા ખરાબ થઈ જતા ખાદ્ય પદાર્થો નહીં મોકલી શકે.અનેક ફરિયાદો મળ્યા બાદ FSSAIએ ખાદ્ય પદાર્થોની ‘એક્સપાયરી ડેટ’ નિર્ધારિત કરી છે. ઓથોરિટીએ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું છે કે, ‘તેઓએ એવી ખાદ્ય ચીજોની સપ્લાય ન કરવી જોઈએ જેની એક્સપાયરી ડેટ નજીક હોય. ગ્રાહકોને ડિલિવરી થતા ખાદ્ય પદાર્થોની એક્સપાયરી ડેટ ઓછામાં ઓછી 45 દિવસની હોવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થ વહેલા ખરાબ થઈ જતા હોય તો, તેની શેલ્ફ લાઈફ ઓછામાં ઓછી 30 ટકા હોવી જોઈએ