ભારતમાં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવી પણ જગ્યા છે જે ફરવા માટે ખૂબ સુંદર છે પણ આ જગ્યા પર ફરવા ગયા તો જીવતા પાછુ ફરી નથી શકાતું. જી હાં, કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે. ભારતમાં એક આવી જગ્યા આવેલી છે જ્યાં કોઈને પણ જવાની મંજૂરી નથી અને જો કોઈ ત્યાં જાય છે તો એમની ડેડબોડી પણ નથી મળતી. આ જગ્યાનું નામ છે ‘નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ’.
26 વર્ષના અમેરિકન યુવકને મળ્યું હતું મોત
નોર્થ સેન્ટીનેલ આઇર્લેન્ડ્સ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સ્થિત છે. આ જગ્યાએ દુનિયાની સૌથી જૂની આદિવાસી જનજાતિ રહે છે. તેઓનો વર્તમાન યુગ સાથે કોઈ સંબંધ નથી. તેઓ બહારના લોકો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. જો કોઈ વ્યક્તિ તેની નજીક જવાનો પ્રયત્ન કરે તો તેઓ તેને મારી નાખે છે. માનવામાં આવી રહ્યું છે કે આ જનજાતિ 60,000 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.ભલે આ ટાપુ દક્ષિણ આંદામન જિલ્લા હેઠળ આવે છે, પરંતુ ભારત સરકારે અહીં કોઈને પણ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલુ જ નહીં અહીં ભારતીય સેના માટે પણ પ્રતિબંધ છે.
માત્ર 23 ચોરસ માઇલના આ ટાપુની ચર્ચા ભારતથી લઈને અમેરિકા સુધી છે કારણ કે થોડા વર્ષો પહેલા અહીંના જંગલોમાં પહોંચેલા 26 વર્ષીય અમેરિકન Missionary જોન એલન ચાઉને ત્યાંના આદિવાસીઓએ હત્યા કરી દીધી હતી. આ ટાપુ પર રહેતા આદિવાસીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવાની મનાઈ હોવા છતાં આ પ્રવાસી આ ટાપુની અંદર ગયો હતો.કહેવાય છે કે 1867માં સૌથી પહેલા આ વિશે ખબર પડી હતી, જ્યારે આ ટાપુના કિનારે એક માલવાહક જહાજ ક્રેશ થયું હતું. જહાજમાંથી 86 લોકો ટાપુ પર ઉતર્યા હતા ત્યારે તેમના પર અચાનક હુમલો થયો પરંતુ કોઈ રીતે એમનો જીવ બચી ગયો હતો.
જોકે એવું નથી કે આ આઇલેન્ડ પર કોઈ આવ્યું ન હોય કે આ લોકો સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ન કર્યો હોય. જ્યારે જ્યારે પણ આ આઇલેન્ડના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે આ લોકો દ્વારા Violence જ જોવા મળ્યું છે. વર્ષ 1771 માં એક ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શિપ આ આઇલેન્ડ પાસેથી પસાર થાય છે, ત્યારે તે શિપ પર રહેલા સર્વેયરને આ આઇલેન્ડ પરથી એક પ્રકાશ બહાર આવતો જોવા મળે છે. ત્યારે પહેલીવાર ખબર પડે છે કે, આ આઇલેન્ડ પર કોઈ રહે છે. ત્યારબાદ વર્ષ 1867માં એક ઇન્ડિયન મર્ચન્ટ શિપ જે લગભગ 100 પેસેન્જરને લઈને જઈ રહ્યું હતું તેનું કોઈ કારણોસર આ આઇલેન્ડ પર અકસ્માત થઈ જાય છે. આ દરમિયાન શિપ પર હાજર લોકો ઉપર આ સેન્ટ્રિનલ લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે. જોકે, તેમને બ્રિટિશ ઇન્ડિયન રોયલ નેવી દ્વારા બચાવી લેવામાં આવે છે. આ પહેલીવાર જોવા મળે છે કે, નોર્થ સેન્ટિનલ આઇલેન્ડના લોકો બહારથી આવતા કોઈ અન્ય લોકોને પોતાના આઇલેન્ડ પરથી બહાર ભગાડવા માટે ધનુષ અને તીરનો ઉપયોગ કરે છે.
1996 બાદ ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ
વર્ષ 1991માં ભારત સરકારે ત્યાંના લોકો સાથે કોન્ટેક કરવાની કોશિશ કરી હતી અને એ બાદ 1996 પછી નોર્થ સેન્ટિનલ આઇલેન્ડમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે 2006માં અહીં કેટલાક માછીમારો ભૂલથી પંહોચી ગયા હતા અને ત્રણ દિવસ બાદ તેની લાશ બીચ પર જોવા મળી હતી. મૃતદેહને પરત લેવાનો પ્રયાસ કરવા એક ટીમ ત્યાં પંહોચી તો આ આદિવાસીઓ તેમના પર પણ તીર વડે હુમલો કર્યો હતો.