વિખ્યાત કથાવાચક સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે જયપુરમાં વિદ્યાનગર સ્ટેડિયમમાં આયોજિત રામકથામાં પોતાના પ્રવચન દરમિયાન અનામતને લઈને મહત્વની માંગ સરકાર સમક્ષ કરી હતી.
જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘સરકારે જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધારે આપવી જોઈએ અને આ ટૂંક સમયમાં થવાનું છે. અમે સવર્ણ સમાજમાં જન્મ લઈને પાપ કર્યું નથી. સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, ‘બ્રાહ્મણ મુખથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથથી, વૈશ્ય જાંઘથી અને શુદ્ર ચરણથી. ચરણ પર માથું ઝૂકે છે તો તે અપવિત્ર કેવી રીતે થઈ ગયું. હિન્દુઓમાં કોઈ અછૂત નથી. દેશમાં 80 ટકા હિન્દુ કરવા પડશે પછી તમામ સમસ્યા ખતમ થઈ જશે.’ આ અવસરે જગદગુરુ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની પણ અપીલ કરી હતી.
Leave a comment