પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાનના સંબંધો માટે ક્રિકેટ એક સારો રસ્તો હોવાનું જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને સંબંધ સુધારવાનો રસ્તો માનતા નવાઝ શરીફે કહ્યું કે, ‘ક્રિકેટ એવું ક્ષેત્ર છે જે સંબંધ સુધારવામાં મદદ કરી શકે છે. મેં કહ્યું હતું કે ભારતીય ટીમને પાકિસ્તાન આવવું જોઈએ. જો અમારે ભારતમાં રમવાનું હોત તો હું ઈચ્છતો હોત કે પાકિસ્તાનની ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચે. તેનાથી સંબંધો સુધરશે.’
લંડનના પાર્ક લેન સ્થિત ફોર સીઝન્સ હોટલમાં પાકિસ્તાન સમાચાર પત્ર ડૉનમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં નવાઝ શરીફે આ વાત કરી હતી. તેમણે બંને દેશોના સંબોધોમાં સુધાર પર ભાર આપતા કહ્યું કે, ‘બંને દેશોએ પોતાની વચ્ચે આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો પર કામ કરવું જોઈએ. એક સમય આવશે જ્યારે ભારત અને પાકિસ્તાન વાત કરશે.’ આમ, એકવાર ફરી શરીફે ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી છે. આ સાથે જ તેમણે આતંકવાદને લઇને પણ નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે, ભારતે આગામી આગામી વર્ષ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. ભારતે 2008 બાદ પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન નથી મોકલી, જ્યારે મહેન્દ્ર સિંહની કેપ્ટનશિપમાં ટીમ એશિયા કપ માટે મોકલી હતી.