જાણીતા સંગીતકાર અને ઓસ્કાર વિજેતા ગાયક એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુએ છૂટાછેડાની જાહેરાત કરી છે. લગ્નના 29 વર્ષ બાદ બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. સંગીતકાર એ આર રહેમાને કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. મહત્વનું છે કે એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો ખતિજા, રહીમા, આમીન છે.
Leave a comment