એક સમયે પાકિસ્તાનમાં અસંખ્ય હિન્દુ મંદિરો હતા. પરંતુ કાળક્રમે તે નાશ થતા ગયા. મુસ્લિમ વસ્તીને કારણે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આક્રમણ કરીને તેનો નાશ કરી દેવાયો. હવે ત્યાં ગણ્યાગાંઠ્યા હિન્દુ મંદિરો બચ્યા છે. ત્યારે હવે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે.
પાકિસ્તાનમાં 147 વર્ષ પહેલા કાલુપુર સંપ્રદાય દ્વારા સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આવનારા સમયમાં કાલુપુર સંપ્રદાયના ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી પાકિસ્તાનના કરાચીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વિચરણ તથા મંદિરનું પુનઃ નિર્માણ કાર્યમાં ભાગ લેશે. મંદિરનું કૂલ ક્ષેત્રફળ 32000 સ્ક્વેર ફુટમાં આ ઉતારા ભવનનું નિર્માણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરના નિર્માણ કાર્યમાં સરકાર બદલાવાના કારણે મંદિર નિર્માણનું કાર્ય અટકતુ હતું. પરંતુ, સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા કાયદાકીય રીતે લડત આપી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાવવામાં આવ્યું છે. હાલ પણ કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં સનાતન હિન્દુ ધર્મના દરેક ઉત્સવની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવે છે. હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધા સ્વામિની મૂર્તિ મંદિરમાં પ્રસ્થાપિત કરાઈ છે. જેનો નિત્ય પૂજા પાઠ કરવામાં આવે છે.