ભારતીય સ્પિનર કુલદીપ યાદવે જર્મનીમાં કમરની સર્જરી કરાવી છે. તે પીઠની ઈજાથી પરેશાન હતો. સ્પિનર બોલરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પોસ્ટ કરી ફેન્સને આ જાણકારી આપી હતી. મળતી માહિતી મુજબ, ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનું નામ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યું નથી.
https://www.instagram.com/p/DCmal7wBi_t/?img_index=2&igsh=MXA2cmhkMHQ0ZHl0Yg==
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે તેને તક મળી શકતી હતી પરંતુ એક ઈજાએ તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગ્રહણ લગાવી દીધું. જેની જાણકારી સિલેક્શન દરમિયાન બીસીસીઆઈએ આપી હતી. જર્મનીના મ્યૂનિખમાં કુલદીપ યાદવે પોતાની બેક સર્જરી કરાવી છે. આ કારણે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો નથી. તે ઘણા સમયથી આ તકલીફથી ઝઝૂમી રહ્યો હતો અને હવે તેની સારવાર તેણે કરાવવી પડી છે. ચાઇનામેન બોલરે મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા, એક ફોટોમાં તે હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. કુલદીપે આ પોસ્ટ પર લખ્યું- ‘સારા થવા માટે મ્યુનિકમાં થોડા દિવસો.’