મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ, શિવસેના અને NCP (અજિત પવાર) એ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જૂન મહિનામાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિને રાજ્યમાં જોરદાર ફટકો પડ્યો હતો, ત્યાર બાદ સવાલો ઉઠી રહ્યા હતા કે શું મહાયુતિ વિધાનસભા ચૂંટણીમાં વાપસી કરી શકશે? સામાન્ય ચૂંટણીઓમાં, કોંગ્રેસ 13 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બની, જ્યારે સહયોગી શિવસેના (UBT) 9 અને શરદ પવારની NCP 8 બેઠકો જીતી. અજિત પવારની એનસીપી માત્ર એક, શિવસેના પાસે સાત બેઠકો અને ભાજપ માત્ર નવ બેઠકો સુધી મર્યાદિત હતી.
હવે, ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને માત્ર છ મહિનામાં હારેલી બાજીને જીતમાં ફેરવી દીધી છે. જ્યારે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCPનો સમાવેશ કરતી વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA)ને નોંધપાત્ર હારનો સામનો કરવો પડ્યો છે. મહાયુતિ ગઠબંધને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. જો કે વર્તમાન સીએમ એકનાથ શિંદે, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ પદના દાવેદાર છે.
મહાયુતિ ગઠબંધનમાં ત્રણેય પક્ષોમાં ભાજપે સૌથી વધુ બેઠકો જીતી હોવાથી, તે મુખ્યમંત્રી પદનો દાવો કરવાની મજબૂત સ્થિતિમાં છે. ત્યારે જોવુ એ રહેશે કે આખરે મહારાષ્ટ્રની કમાન કોના હાથમાં આપવામાં આવે છે.