રશિયાના રાજકીય દાર્શનિક અને રાષ્ટ્રપતિ પુતિનનાં ગુરુ મનાતા એલેક્ઝાન્ડર ડુગિને અખંડ ભારતને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એલેક્ઝાન્ડર દુગિને ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ઇન્ડિયા ટીવીને આપેલી એક ખાસ મુલાકાતમાં ભારતનાં ભાવિ સહિત અનેકવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતાસાથે હિન્દૂત્વના પ્રસારને વિશ્વ કઈ રીતે જુવે છે તે વિષે પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે, અખંડ અને વૈદિક ભારતની પુનઃસ્થાપનાના પીએમ મોદીના સપનાને સમર્થન આપ્યું હતું. ડુગિને જણાવ્યું હતું કે આપણી નજરની સામે ભારત એક નવા વૈશ્વિક કેંદ્ર તરીકે ઊભરી રહ્યું છે. તેમણે ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિ અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અને મહાન દેશના મહાન વૈશ્વિક નેતા છે. તે એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સાર્વભૌમ છે. જેને પરંપરાગત અને વૈદિક મૂલ્યો છે, જ્યાં આંતરિક માનવતા અને સમૃદ્ધિ છે.
પીએમ મોદી ઈન્ડિયાને પુનઃ ભારત બનાવવામાં લાગ્યા છે. હું વડાપ્રધાન મોદીના આ પગલાની પ્રશંસા કરું છું. તેની પાસે વિશ્વને સંતુલિત કરવાની અદભૂત ક્ષમતા છે, PM મોદીના સંબંધો રાષ્ટ્રપતિ પુતિન સાથે જેટલા સારા છે તેટલા જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ છે. એશિયા, આફ્રિકન દેશો, આરબ દેશો, ઇસ્લામિક દેશો, યુરોપ અને પશ્ચિમી દેશોમાં તેમની સમાન પકડ છે.