આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂક્યું છે. તેનો ઉપયોગ દરેક એવી જગ્યાએ કરવામાં આવે છે જ્યાં આઈડી પ્રૂફની જરૂર પડે છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધારધારકોને તેમાં સુધારાની સુવિધા આપે છે. તેવામાં UIDAIએ પોતાના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે.
UIDAIએ આધારમાં નામ-સરનામું બદલવાની પ્રક્રિયાને પહેલા કરતાં વધુ અઘરી બનાવી દીધી છે.યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર જો તમે તમારા આધાર કાર્ડમાં હાલના નામમાં સુધારો કરવા માંગો છો તો હવે વપરાશકર્તાઓને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેઝેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધારધારકનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે તમે PAN કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.મહત્વનું છે કે, આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયાને કઠિન બનાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી છેતરપિંડીના કિસ્સાઓ પર રોક લગાવી શકાય.