By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Constitution Day India: જાણો વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણનો ઇતિહાસ અને મહત્વ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ઇન્ડિયા > Constitution Day India: જાણો વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણનો ઇતિહાસ અને મહત્વ
ઇન્ડિયાબાયોગ્રાફી

Constitution Day India: જાણો વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણનો ઇતિહાસ અને મહત્વ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 26, 2024 1:30 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 4 Min Read
Share
SHARE

બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. વર્ષ 2024માં ભારતમાં બંધારણની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને તેની યાદમાં દર વર્ષે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બંધારણના અમલના બે મહિના પહેલા 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ આ દિવસે અનેક ચર્ચાઓ અને સુધારાઓ બાદ બંધારણને સ્વીકાર્યું હતું. આ કારણે દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ દિવસની ઉજવણીનો નિર્ણય તેમના ઘડવૈયા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યો હતો. કારણકે ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારને પ્રોત્સાહન આપે છે.

સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.

બંધારણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણની ખાસ વાત એ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે ‘Rights and Duites’ વિશે વિસ્તારથી વર્ણન કરાયું છે. બંધારણ સભાના સદસ્ય ભારતના રાજ્યની સભાઓના સભ્યો દ્રારા પસંદ કરવામાં આવ્યા હતા.

કોણ હતા બંધારણના પ્રમુખ સભ્યો

જવાહરલાલ નહેરુ, ડૉ. ભીમરાવ આંબેડર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલમા આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા.

દેશની સંવિધાન સભાએ બંધારણને વિધિવત રીતે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કર્યું હતું. જોકે, સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગુ કર્યું હતું.

સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.

ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. તેમાં કેટલાય દેશોના સંવિધાનને અપનાવવામાં આવ્યું છે. એટલા માટે તેને ‘Bag of Borrowings’ પણ કહેવાય છે, તેમાં અમુક ભાગ યૂકે, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના સંવિધાનમાંથી લાવવામાં આવ્યું છે.

ભારતીય સંવિધાનમાં નાગરિકોના મૌલિક અધિકાર, કર્તવ્ય, સરકારની ભૂમિકા, પીએમ, રાષ્ટ્રપતિ, ગવર્નર અને સીએમનો શક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.

સંવિધાનની મૂળ કોપી ટાઈપ અથવા પ્રિન્ટેડ નથી. તેને પ્રેમ નારાયણ રાયજાદાએ હાથેથી લખી હતી. સંવિધાનને કેલીગ્રાફીમાં ઈટાલિક અક્ષરોમાં લખ્યું છે.

સંવિધાનની ઓરિજિનલ કોપી 16 ઈંચ પહોળી છે તેમાં 22 ઈંચ લાંબા પ્રેચમેન્ટ શીટ પર લખેલું છે. તેમાં કુલ 251 પેજ છે. આખા સંવિધાનને તૈયાર કરવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ તે પૂરું થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તે લાગુ થયું.

સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી, બંને ભાષામાં લખેલી હતી. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભામાં 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં 15 મહિલા સામેલ હતી.

ભારતીય સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. જો કે, હાલના સમયમાં આપણા સંવિધાનમાં 470 અનુચ્છેદ, 25 ખંડ અને 12 અનુસૂચિની સાથે સાથે 5 પરિશિષ્ટ પણ છે.

સંવિધાનમાં કુલ 1,45,000 શબ્દ છે. અંતિમ રૂપ આપતા પહેલા તેમાં 2000થી વધારે સંશોધન કર્યા હતા.

ભારતીય સંવિધાનની મૂળ સંરચના ભારત સરકાર અધિનિયમ 1935 પર આધારિત છે.

You Might Also Like

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

TAGGED: #constitutionday, #gujaratinews, #india, #vibesofpositivity
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?