બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. વર્ષ 2024માં ભારતમાં બંધારણની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને તેની યાદમાં દર વર્ષે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે બંધારણના અમલના બે મહિના પહેલા 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ આ દિવસે અનેક ચર્ચાઓ અને સુધારાઓ બાદ બંધારણને સ્વીકાર્યું હતું. આ કારણે દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ દિવસની ઉજવણીનો નિર્ણય તેમના ઘડવૈયા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યો હતો. કારણકે ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારને પ્રોત્સાહન આપે છે.
સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.
બંધારણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણની ખાસ વાત એ છે કે અધિકાર અને કર્તવ્ય એટલે કે ‘Rights and Duites’ વિશે વિસ્તારથી વર્ણન કરાયું છે. બંધારણ સભાના સદસ્ય ભારતના રાજ્યની સભાઓના સભ્યો દ્રારા પસંદ કરવામાં આવ્યા હતા.
કોણ હતા બંધારણના પ્રમુખ સભ્યો
જવાહરલાલ નહેરુ, ડૉ. ભીમરાવ આંબેડર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલમા આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા.
દેશની સંવિધાન સભાએ બંધારણને વિધિવત રીતે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કર્યું હતું. જોકે, સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને લાગુ કર્યું હતું.
સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવવામાં આવે છે. આ દિવસે સ્કૂલ અને કોલેજમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને ભણાવવામાં આવે છે. તેની સાથે જ ભારતીય સંવિધાનની વિશેષતા અને મહત્વ પર પણ ચર્ચા થાય છે.
ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. તેમાં કેટલાય દેશોના સંવિધાનને અપનાવવામાં આવ્યું છે. એટલા માટે તેને ‘Bag of Borrowings’ પણ કહેવાય છે, તેમાં અમુક ભાગ યૂકે, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના સંવિધાનમાંથી લાવવામાં આવ્યું છે.
ભારતીય સંવિધાનમાં નાગરિકોના મૌલિક અધિકાર, કર્તવ્ય, સરકારની ભૂમિકા, પીએમ, રાષ્ટ્રપતિ, ગવર્નર અને સીએમનો શક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
સંવિધાનની મૂળ કોપી ટાઈપ અથવા પ્રિન્ટેડ નથી. તેને પ્રેમ નારાયણ રાયજાદાએ હાથેથી લખી હતી. સંવિધાનને કેલીગ્રાફીમાં ઈટાલિક અક્ષરોમાં લખ્યું છે.
સંવિધાનની ઓરિજિનલ કોપી 16 ઈંચ પહોળી છે તેમાં 22 ઈંચ લાંબા પ્રેચમેન્ટ શીટ પર લખેલું છે. તેમાં કુલ 251 પેજ છે. આખા સંવિધાનને તૈયાર કરવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ તે પૂરું થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તે લાગુ થયું.
સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી, બંને ભાષામાં લખેલી હતી. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભામાં 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં 15 મહિલા સામેલ હતી.
ભારતીય સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. જો કે, હાલના સમયમાં આપણા સંવિધાનમાં 470 અનુચ્છેદ, 25 ખંડ અને 12 અનુસૂચિની સાથે સાથે 5 પરિશિષ્ટ પણ છે.
સંવિધાનમાં કુલ 1,45,000 શબ્દ છે. અંતિમ રૂપ આપતા પહેલા તેમાં 2000થી વધારે સંશોધન કર્યા હતા.
ભારતીય સંવિધાનની મૂળ સંરચના ભારત સરકાર અધિનિયમ 1935 પર આધારિત છે.