છેલ્લા 14 મહિનાથી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ યુદ્ધમાં 3700થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આખરે 14 મહિનાના યુદ્ધ બાદ બંને વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે. ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે. મંગળવારે મોડી રાત્રે આ અંગે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ યોજનાને પહેલા જ મંજૂરી આપી દીધી છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા 14 મહિનાથી ઈઝરાયલનું હમાસ અને તેના સમર્થક સંગઠનો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ગત વર્ષ 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં ઘાતક હુમલો થયો હતો જ્યારબાદ પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ પેદા થઈ હતી. આ યુદ્ધ બાદ અનેક મોર્ચા શરૂ થઈ ચૂક્યા હતા, જેમાં ઈઝરાયલ અને લેબેનોનમાં હાજર સંગઠન હિઝબુલ્લાહ પણ મેદાનમાં આવ્યું. ઈઝરાયેલ અને હિઝબુલ્લાહના લોહિયાળ જંગમાં લેબેનોનમાં 3750થી વધુ લોકોના મોત થયા છે અને 10 લાખથી વધુ લોકો પોતાના ઘરથી બેઘર થયા છે. જોકે, એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા આ યુદ્ધ વચ્ચે ઈઝરાયલ અમેરિકન યુદ્ધવિરામની યોજના પર સહમતી દર્શાવી છે. ઈઝરાયલના સુરક્ષા મંત્રીમંડળની મંગળવારે બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામ સમજૂતીને મંજૂરી આપી દીધી છે.
શું હોય છે યુદ્ધવિરામ?
યુદ્ધવિરામ અથવા જંગબંધી (ceasefire या truce) કોઇ યુદ્ધમાં લડતા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા લડાઈને રોકવા માટેનો આ કોલ છે ક્યારેક આ યુદ્ધવિરામ કાયમી હોય છે તો ક્યારેક આ અવરોધ માત્ર અસ્થાયી (કામચલાઉ) પણ હોય છે. ઘણી વાર યુદ્ધવિરામ પક્ષોમાં પોતાની ઔપચારિક સંધિનો ભાગ હોય છે, પરંતુ તે અનેક વાર અનૌપચારિક રૂપથી વગર કોઇ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા વિના પણ થઈ શકે છે.