તાજેતરમાં બાંગ્લાદેશમાં ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે માત્ર બાંગ્લાદેશમાં જ નહીં, ભારત અને અમેરિકામાં પણ લોકોમાં રોષ ફેલાયો છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી વધુ એક હરકત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં એવી ઘટના બની છે કે, બાંગ્લાદેશના સ્થાનિક મુસ્લિમોએ હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી ઈન્કોનના શિબચરમાં આવેલા કેન્દ્રને બંધ કરાવી દીધું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
https://x.com/RadharamnDas/status/1861829028375601393
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા બાદ હિન્દુઓ સતત અત્યાચાર થઈ રહ્યા છે. દેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ સમાજને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હસીનાએ દેશ છોડતાં જ ત્યાં હિન્દુ સમાજ અને ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.