ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વએ તબાહીના ઘણાં દ્રશ્યો જોયા છે અને હવે એવા સંકેતો છે કે આ યુદ્ધ શાંત થવા જઈ રહ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે રશિયા સાથેના યુદ્ધવિરામ કરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમે યુદ્ધવિરામ માટે તૈયાર છીએ.’ જો કે આ માટે તેમણે નાટો દેશો સાથે યુદ્ધવિરામ કરારની શરત પણ મૂકી છે. . આ સાથે તેઓે અત્યારે રશિયાના કબજા નીચે રહેલા યુક્રેનના વિસ્તારો અંગે કહ્યું હતું કે, તેનો ઉકેલ મંત્રણા દ્વારા આવી શકે.એક ઈન્ટરવ્યૂમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ જણાવ્યુ હતું કે, ‘જો યુક્રેન હેઠળના વિસ્તારને નાટો હેઠળ લેવામાં આવે છે, તો તે યુક્રેન અને રશિયા સાથે યુદ્ધવિરામ પર સમજૂતી પર પહોંચી શકે છે. જો રશિયા યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાંથી પીછેહઠ ન કરે તો પણ નાટો યુક્રેનના બાકી રહેલા વિસ્તાર માટે સુરક્ષાની ખાતરી આપે તો સીઝફાયર થશે.’