By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારનો મામલો, આણંદ હિન્દુ સમાજે નોંધાવ્યો વિરોધ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારનો મામલો, આણંદ હિન્દુ સમાજે નોંધાવ્યો વિરોધ
ગુજરાત

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારનો મામલો, આણંદ હિન્દુ સમાજે નોંધાવ્યો વિરોધ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 7, 2024 10:11 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની બહેન, દીકરીઓ પર થતા અમાનવીય અત્યાચાર, ઇસ્કોન સંપ્રદાયના સાધુ સંતોની ખોટી રીતે ધરપકડ કરવી, હિન્દુ સમાજ લોકોની જાહેરમાં હત્યાઓ કરવી, મંદિરો અને મૂર્તિઓ તોડી નાખવી, આવી અસંખ્ય ઘટનાઓ બાંગ્લાદેશ માં રહેતા લઘુમતી સાથે થઈ રહી છે વળી આ વિકટ પરિસ્થતિ સતત વધતી જાય છે જેથી ભારતીય હિન્દુ સમાજમાં પણ હવે રોષ ની લાગણી વહેતી થઈ છે. આ મામલે હવે સમગ્ર દેશમાં ઠેર ઠેર ધરણાં, વિરોધ પ્રદર્શનો અને આંદોલન થઈ રહ્યા છે.

બાંગ્લાદેશમાં ઘણાં સમય થી સત્તા પરિવર્તન બાદ વર્તમાન સ્થિતિમાં ત્યાં કોમી તોફાન અને આતંકી પ્રવૃત્તિઓનું ગતિવિધિ વધી છે. દેશના કટ્ટરવાદી ઇસ્લામિક જૂથો અને આતંકી સમુહોએ ત્યાં લઘુમતી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર અને નરસંહારનો કાળોકેર વરસાવ્યો છે. આ અમાનુષી અને માનવતા વિરોધી કૃત્યો બાબતે વૈશ્વિક નાગરિક સમાજનું ધ્યાન દોરવા અને આ અત્યાચારો મામલે દખલગીરી કરી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરાઈ રહી છે આ મામલે આણંદ ઇસ્કોન મંદિર નજીક પણ હિન્દુ સમાજના સાધુ સંતો અને અગ્રણી નાગરિકો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આણંદ હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકવા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંતશ્રી ને ખોટી રીતે જેલ માં ધકેલી દીધા છે .

મહત્વનું છે કે બાંગ્લાદેશ સરકારની આ કાર્યવાહીને હિન્દુ સમાજે અમાનવીય ગણાવી હિન્દુ સમાજના આગેવાનોએ સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજી ને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા. પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા,તેમજ હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માંગણી કરી છે. આણંદમાં થયેલ આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ જીલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપરાંત શૈક્ષણિક મહાસંઘ, સહકાર ભારતી, સાહિત્ય પરિષદ, સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગેવાન કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

You Might Also Like

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

TAGGED: #anand, #gujaratinews, #vibesofpositivity, #આણંદ, #ગુજરાત
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?