આવતીકાલે (બુધવાર, 11 ડિસેમ્બર) માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની એકાદશી છે. તેને મોક્ષદા એકાદશી કહે છે. મોક્ષદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની આરાધના માટે ખૂબ મહત્વનું છે. ‘મોક્ષ’નો અર્થ છે મુક્તિ, અને ‘દા’નો અર્થ છે આપનાર. એટલે, “મોક્ષદાન” આ એકાદશી વ્રતના દિવસ પર મનુષ્ય પોતાના પાપો અને મોહમાયા પરથી છુટકારો પામી શકે છે. સાથે જે કોઇ મનુષ્ય આ દિવસે દાન કરે છે તેમના માટે પણ લાભ થઇ શકે છે. મોક્ષદા એકાદશી એ જન્મ અને મૃત્યુના સંસારથી છૂટકારો આપતી એક વિશેષ તિથિ છે. આ દિવસે ભક્તિ, શ્રદ્ધા અને વિષ્ણુજીના પાવન નામનો જાપ કરવાથી જીવનના બધા પાપો ધૂળ થઈને આત્મા પવિત્ર અને પ્રકાશિત થાય છે.આ દિવસે વિષ્ણુ ભગવાનની અને શ્રીકૃષ્ણની પૂજા તથા શ્રાવણ વાંચવી, ગીતા પાઠ કરવો, તેમજ પવિત્ર મંત્રોના જાપનો પ્રયોગ કરવો ખૂબ ફળદાયી માનવામાં આવે છે. જે લોકો એકાદશીનું વ્રત રાખે છે, તેમણે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ અને જો દિવસભર ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તેઓ ફળ ખાઈ શકે છે. ભક્તો દૂધ અને ફળોના રસનું સેવન પણ કરી શકે છે.એકાદશીના દિવસે સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવીને પૂજા કરવાથી લાભ થાય છે. આ વ્રત પર, દક્ષિણાવર્તી શંખથી ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો અભિષેક કરો. કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ અને દૂધ પછી જળ અર્પણ કરવું જોઈએ.
એકાદશીનું વ્રત એક પ્રકારથી પિતૃલોકથી મુક્તિ માટે છે. એ એક સમયની વાત છે જ્યારે વૈખાનસ નામના રાજાએ આ વ્રત રાખી, પોતાના પિતાને નર્કના દુખોથી મુક્તિ આપીને સ્વર્ગમાં સ્થાન પામવાની કૃપા કરી. રાજાએ વ્રત અને પૂજન કરીને પોતાના પિતાને શાંતિ અને અનંત સુખ મળવા માટે ભગવાનના આશીર્વાદ મેળવ્યાં.