અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 ફિલ્મની કમાણી કરતા અલ્લુ અર્જુનની ધરપકડના કારણે વધારે ચર્ચામાં જોવા મળી છે. ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન થયેલ ભાગદોડમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં શુક્રવારે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સેશન કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો કર્યો હતો. આ દરમિયાન તેલંગાણા હાઇકોર્ટમાંથી એક્ટરને રાહત મળી છે. હાઈકોર્ટે અલ્લુ અર્જુનના ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉપરાંત, એક્ટરને રૂ. 50,000ના બોન્ડ ભરવાનો નિર્દેશ કર્યો છે.
https://x.com/iamRashmika/status/1867543368420794503
પુષ્પા સ્ટારના ધરપકડના અહેવાલ સામે આવ્યા બાદ તેના પ્રશંસકોની સાથે સાથે ફિલ્મની અભિનેત્રી રસ્મિકા મંદાના પણ ચોંકી ઉઠી હતી.તેણે ટ્વીટ કરીને આ અંગે પોસ્ટ પણ કરી હતી. જ્યારે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને પવન કલ્યાણ પણ અભિનેતાના ઘરે તેના પરિવારની હિમ્મત વધારવા હૈદરાબાદ પહોંચ્યા હતા.