જો તમે પણ NCERT પુસ્તકો વાંચવાનું પસંદ કરો છો અને તેમાંથી અભ્યાસની પ્રેક્ટિસ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT)એ આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 9થી 12 સુધીના પાઠ્યપુસ્તકોના ભાવમાં 20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ અંગેની જાહેરાત ખૂદ NCERTના ડિરેક્ટર દિનેશ પ્રસાદ દ્વારા એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. NCERT હેડક્વાર્ટરમાં ઓડિટોરિયમના નિર્માણ માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, આ પહેલીવાર છે કે પાઠ્યપુસ્તકોના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે.
https://x.com/dpradhanbjp/status/1868654216962830553
આ વર્ષે NCERTએ કાગળની ખરીદીમાં ખુબ વધુ કાર્યક્ષમતા લાવી છે અને તેમાં નવીનતમ પ્રિન્ટીંગ મશીનોવાળા પ્રિન્ટરોનો પણ સમાવેશ કર્યો છે. NCERTએ દેશના વિદ્યાર્થીઓને તેનો લાભ આપવાનું નક્કી કર્યું છે.’ વધુમાં તેમણે જણાવ્યું કે, ‘આગામી શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 9 અને 12ના તમામ પાઠ્યપુસ્તકો NCERT દ્વારા હાજર કિંમતથી 20 ટકા ઓછી કિંમત પર વેચવામાં આવશે.