બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar trophy)ની ત્રીજી મેચ બાદ ભારતીય ટીમના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને અચાનક જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (R Ahwin Retirement) કરી હતી, જેને કારણે તેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. આર અશ્વિનની નિવૃત્તિ અંગે પૂર્વ ક્રિકેટરો, ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આર. અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. બદ્રીનાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા સુબ્રમણ્યમ બદ્રિનાથે કહ્યું કે રવિ અશ્વિનને પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ 11માં સામેલ ન કરવામાં આવ્યો. રવિ અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
એસ બદ્રીનાથે કહ્યું કેપર્થ ટેસ્ટમાં, પ્લેઇંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજા અને રવિ અશ્વિન કરતાં વોશિંગ્ટન સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અગાઉ પણ રવિ અશ્વિનને વિદેશની ધરતી પરની મેચોમાં પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો ના હતો. અશ્વિનને પહેલી અને ત્રીજી ટેસ્ટમાં બહાર રાખવામાં આવ્યો હતો અને બીજી ટેસ્ટમાં તેને રમવાની તક મળી હતી. આ દરમિયાન અશ્વિને માત્ર એક જ વિકેટ લીધી હતી. મહત્વનું છે કે બ્રિસબેન ટેસ્ટના અંતિમ દિવસે વરસાદે મેચની મજા બગાડી નાખી હતી. પરંતુ છેલ્લી ક્ષણે આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.