બોર્ડર-ગાવસ્કર સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ બાકી છે. શ્રેણીની સાથે સાથે આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
જોકે આ પહેલા ભારતીય ટીમના પ્રશંસકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માને ઘૂંટણના ભાગે ઈજા પહોંચી હતી. રોહિત થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે બોલ તેના પેડને અડ્યો હતો અને ઘૂંટણમાં વાગ્યો હતો. મહત્વનું છે કે આ પહેલા પ્રથમ નેટ સેશન દરમિયાન કેએલ રાહુલને હાથમાં ઈજા થઈ હતી. મેલબોર્નની ચોથી ટેસ્ટ મેચ પહેલા રાહુલ અને રોહિત ઈજાગ્રસ્ત થતા ટીમનું ટેન્શન પણ વધી ગયુ છે. બંનેના આગામી મેચમાં રમવાને લઈને પણ આશંકાઓ ઘેરાવા લાગી છે.