પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. પુષ્પા-2ના પ્રિમિયર દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મોતને લઈને હજી પણ લોકોમાં અભિનેતા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે રવિવારે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ઘર બહાર કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કરી તોડફોડ કરી હતી. હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો હતો. આ કેસમાં JAC નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે JACના નેતાઓની અટકાયત કરી છે.
https://x.com/AshiishKushwaha/status/1870818892106572288
મળતી માહિતી મુજબ, ઉસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના સભ્યો અલ્લુ અર્જુનના ઘરની બહાર એકઠા થયા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હચા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની માંગણીઓ માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. JACના પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે અલ્લુ અર્જુન મૃતક મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપે અને પરિવારને શક્ય તમામ મદદ કરે. જોકે, આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલ લોકોની અટકાયત કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની ત્યારે અલ્લુ અર્જુન તેમના ઘરે હાજર ન હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનકારીઓએ અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ પણ કરી હતી.