ગુજરાત બોર્ડમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ રાખી પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રૂપ બદલી શકશે અને કોઈ પણ ગ્રૂપમાં પરીક્ષા આપી શકશે.
બોર્ડના નિયમોમાં ફેરફાર થતા રાજ્યના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થશે ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેઈલ થાય છે તો તે, એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. અને આ પરીક્ષા આપવાનો મોકો તેને તરત જ એટલે કે પૂરક પરીક્ષા સમયે જ મળી જશે. આ સાથે હવે વિદ્યાર્થીઓને વધુ એક ફાયદો એ મળી રહ્યો છે કે, ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. એટલે કે ધોરણ 11 સાયન્સમાં એ, બી કે એબી ગ્રુપ હોય તો 12 સાયન્સમાં તમે અન્ય ગ્રુપ પણ પસંદ કરી શકો છો.