દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ખુબ પ્રભાવિત હતા. તેમનુ ખુબ જ સન્માન કરતા હતા. પોતાના પુસ્તકમાં પણ ઓબામાએ સિંહનો ઉલ્લેખ કર્યો હતો.મનમોહનસિંહનુ ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુરૂવારે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને આર્થિક ઉદારીકરણમાં તેમના વિશેષ યોગદાન માટે સમગ્ર વિશ્વમાં યાદ કરવામાં આવે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ એક વખત મનમોહન સિંહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ‘જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે.’ઓબામાએ તેમના પુસ્તક ‘A Promised Land’માં પણ મનમોહન સિંહના વખાણ કર્યા હતા. બરાક ઓબામાનું આ પુસ્તક 2020માં આવ્યું હતું. ઓબામાએ પુસ્તકમાં લખ્યું હતું કે મનમોહન સિંહ ભારતના અર્થતંત્રના આધુનિકીકરણના એન્જિનિયર રહ્યા છે.