હાલ ડિસેમ્બર મહિનાનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો છે અને તેમાં ખાસ કરીને મોટાભાગના લોકો ક્રિસમસ પર્વની ઉજવણીમાં વ્યસ્ત બની જતા હોય છે. તેવામાં ગુજરાત તેમજ દેશ-દુનિયામાં વસતા કરોડો હિન્દુઓ પશ્ચિમી સંસ્કૃતિની માયાજાળમાં ન ફસાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહે તે માટે અનમોલ મોતી ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં અનમોલ મોતી ફાઉન્ડેશન દ્વારા ડિસેમ્બર મહિનાની ઊજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં બાળકોને શાંતા ક્લોસ નહિ પણ રામ સીતા બનાવવામાં આવ્યા હતા.
અનમોલ મોતી ફાઉન્ડેશન દ્વારા વિવિધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય સંસ્કૃતિ વેશભૂષા, રાધા-કૃષ્ણ, સમૂહ આરતી, માતૃ-પિતૃ વંદના દિવસ ઉજવવામાં આવ્યા હતા. સાથે જ આ સપ્તાહ દરમિયાન જરૂરીયાતમંદ બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.