દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન થઇ ગયા. તેમના અંતિમ સંસ્કાર આજે નિગમબોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. શનિવારે કોંગ્રેસ મુખ્યાલયથી નિગમબોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિગમબોધ ઘાટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
https://x.com/ArgusNews_in/status/1872908326276874453
મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના આજે પૂરા રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ પહેલા નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનું પાર્થિક શરીર કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યું હતું. જ્યાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના પત્ની ગુરુશરણ કૌર અને તેમના પુત્રી દમનસિંહએ એઆઈસીસી હેડક્વાર્ટરમાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને 21 તોપોની સલામી આપવામાં આવી. મનમોહન સિંહ અમર રહેના નારા સાથે કોંગ્રેસ નેતાઓએ તેમને વિદાય આપી.