મહાન સ્પીનર આર. અશ્વિને નિવૃતિ લઇ લીધા બાદ હવે કેપ્ટન રોહિત શર્મા પણ નિવૃતિ લઇ લેશે કે કેમ તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લી આઠ ટેસ્ટ મેચમાં રોહિત શર્માની સરેરાશ માત્ર 11.07 રહી છે. જેથી એવી અટકળો છે કે રોહિત હવે નિવૃતિ લઇ શકે છે. રોહિત શર્મા ભવ્ય દેખાવ ટીમ માટે કરી શક્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ આનો કેટલીક વખત સંકેત આપી ચુક્યા છે.