તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેમની ફિલ્મ પુષ્પા-2ને લઇને અનેક સારા-નરસા કારણોને લીધે ચર્ચામાં છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેમની ફિલ્મના પ્રીમિયર દરમિયાન ધક્કામુક્કીમાં એક મહિલાના મૃત્યુના કેસમાં અભિનેતાને રાહત મળી છે. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને જામીન મળ્યા છે.
તેલંગાણાની નામપલ્લી કોર્ટે ‘પુષ્પા 2’ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાના મોત મામલે એક્ટર અલ્લૂ અર્જુનની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. નામપલ્લી કોર્ટે એક્ટર અલ્લૂ અર્જુનને રેગ્યુલર જામીન આપ્યા છે. કોર્ટે અલ્લૂ અર્જુનને જામીન શરતો હેઠળ 50 હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.