પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરનું નામ હવે બદલાઈ શકે છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય હૃહ મંત્રી અમિત શાહે કરી હતી. તેમણે ‘J&K and Ladakh Through the Ages’ના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું કે, ‘કાશ્મીરનું નામ ઋષિ ‘કશ્યપ’ કરવામાં આવી શકે છે. શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો.’ જો કે, કાશ્મીરનું નામ બદલવાની વાતથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
https://x.com/AmitShah/status/1874775860097458520
અમિત શાહે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે કાશ્મીરી, ડોગરી, બાલટી અને ઝંસ્કારી ભાષાને શાસન કરવાની મંજૂરી આપી, જે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. પીએમનો આગ્રહ હતો કે, યૂટી જાહેર થયા બાદ કાશ્મીરની નાનીમાં નાની ભાષાને જીવંત રાખવામાં આવે. આ પરથી સાબિત થાય છે કે, વડાપ્રધાન કાશ્મીર ઘણું વિચારી રહ્યા છે.તેમણે કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જેની સીમાઓ સાંસ્કૃતિક પરંપરાના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતની એકતા અને અખંડિતતાની તાકાત તેની સંસ્કૃતિમાં રહેલી છે.