ચીનમાં કોરોના બાદ ફરીવાર સામાન્ય લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે. બીજીબાજુ જુદા જુદા દેશો પણ એલર્ટ થઇ રહ્યા છે.ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આ વાયરસ કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ન લે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.ચીનમાં શ્વાસની બીમારીઓ સતત વધવાના મામલે ભારતની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ ચીનમાં પેદા થયેલી આ બીમારી પર હવે ભારત પહેલાં કરતાં વધારે સતર્ક છે. ભારતે WHO થી ચીનની સ્થિતિ વિશે સમયાંતરે જાણકારી શેર કરવા વિશે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, શનિવારે સ્વાસ્થ્ય સેવાઓા ડીજીની અધ્યક્ષતામાં એક જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક કરવામાં આવી હતી. જેમાં ચીનની લેટેસ્ટ સ્થિતિને સમજવા અને તેની સામે તૈયારીની જરૂર પર ચર્ચા કરવામાં આવી.
આ મિટિંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ટીગ્રેટેડ ડિઝિઝ સર્વિલન્સ પ્રોગ્રામ, નેશનલ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને એમ્સ સહિત અનેક હોસ્પિટલના એક્સપર્ટ સામેલ હતાં. નિષ્ણાંતોએ આ વિશે સમંતિ આપી કે, હાજર ફ્લૂની સિઝનને જોતા શ્વાસ સંબંધિત બીમારીના કેસ વધવા સામાન્ય નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેના કારણે ઇન્ફ્લુએન્ઝા વાઈરસ, આરએસવી અને એતએમપીવી થઈ શકે છે. જે આ સિઝનમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
આ છે લક્ષણો
આ વાયરસના લક્ષણો શિયાળાની ઋતુમાં થતા અન્ય વાયરલ ચેપ જેવા જ છે. ચીનમાં HMPV વાયરસના સૌથી મહત્વપૂર્ણ લક્ષણો નીચે મુજબ છે.
- ઉધરસ, તાવ, અનુનાસિક ભીડ, શ્વાસ લેવામાં તકલીફ
ચેપના ક્લિનિકલ લક્ષણો વધી શકે છે અને બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. તે અન્ય વાયરસ જેવું જ છે જે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ બને છે.
ચેપનો સેવન સમયગાળો ત્રણથી છ દિવસનો હોય છે, તેનો અર્થ એ કે લોકો ચેપ લાગ્યાના ત્રણથી છ દિવસ પછી તેના લક્ષણો જોઈ શકે છે.
બીમારીની અવધિ તેની તીવ્રતાના આધારે બદલાઈ શકે છે.