માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતમાં માઇક્રોસોફ્ટના મહત્વાકાંક્ષી વિસ્તરણ અને રોકાણની યોજનાઓ વિશે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બંનેએ મીટિંગમાં ટેક, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. સત્ય નડેલાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે, તેમણે ક્લાઉડ અને AI ક્ષેત્રે ભારતમાં $3 બિલિયનના રોકાણની જાહેરાત કરી. આ જાહેરાત ભારતને AI-FIRST નેશન બનાવવામાં મદદ કરવા માટેના માઈક્રોસોફ્ટના પ્રયાસોનો એક ભાગ છે. નડેલાએ માઇક્રોસોફ્ટ AI ટૂર દરમિયાન બેંગલુરુથી આ જાહેરાત કરી હતી.
સમાચાર અનુસાર, નડેલાએ કહ્યું કે કંપની ભારતમાં ઘણા ક્ષેત્રે વિસ્તરણ કરી રહી છે. ભારતમાં દરેક વ્યક્તિ અને સંસ્થાને સશક્ત બનાવવાનું માઈક્રોસોફ્ટનું મિશન કંપનીને આગળ ધપાવે છે. આ ધ્યેયને હાંસલ કરવા માટે એ પાકું કરવું જરૂરી છે કે આ દેશનું હ્યુમન કેપિટલ ટેકનોલોજીની તકોનો લાભ લઈને સતત આગળ વધવ સક્ષમ છે. એટલા માટે અમે આજે અમારી જાહેરાત કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ કે કંપની 2030 સુધીમાં 10 મિલિયન લોકોને AI કૌશલ્ય માટે તાલીમ આપવામાં આવશે.