ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના(Mahakumbh 2025)આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં 13 જાન્યુઆરીથી યોજાનાર મહાકુંભ માટે ઋષિ-મુનિઓનું આગમન શરૂ થઈ ગયું છે. જેમાં 27મી જાન્યુઆરીના રોજ મહાકુંભમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશભરના અગ્રણી ઋષિ-મુનિઓ ભાગ લેશે. આમાં ચાર પીઠોના શંકરાચાર્ય અને 13 અખાડાઓના વડાઓ પણ સામેલ થશે.
આ અંગે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ મીડિયાને જણાવ્યું હતું કે દેશમાં સનાતન બોર્ડની રચના અંગે ધર્મ સંસદ દરમિયાન ચર્ચા કરવામાં આવશે.સનાતન બોર્ડની રચનાનો પ્રસ્તાવ ધર્મ સંસદમાં પસાર કરવામાં આવશે અને આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે અમારો હેતુ સનાતનને બચાવવાનો છે.