હાલમાં જ ભારતને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓસ્ટ્રેલિયા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારત ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં 0-3થી હારી ગયું હતું. જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું હતું. ત્યારે સતત ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને જોતા ટીમના હેડ કોચની નોકરી ખતરામાં આવી ગઈ છે. જી હાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતને મળેલી હાર બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે. ગૌતમ ગંભીર માટે સૌથી મોટું સંકટ એ છે કે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના કોચિંગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જો ભારત આ ટુર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પણ નહીં પહોંચે તો ગંભીરની કોચિંગને લઈને અનેક સવાલો ઊભા થશે. મળતી માહિતી મુજબ, BCCIએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં વિશેષ સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા સચિવ અને ખજાનચી પદ માટેની ચૂંટણી છે. નવી નિમણૂક પામેલા દેવજીત સાઇકિયા ચાર્જ સંભાળશે. જેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. જ્યારે ખજાનચી અરુણ ધૂમલે પોતાની બે ટર્મ પૂરી કરી લીધી છે જેના કારણે તેમણે આ પદ પરથી હટી જવું પડશે.
એક અહેવાલ અનુસાર આ બેઠકમાં ગૌતમ ગંભીર અને તેમની કોચિંગ ટીમના પ્રદર્શનને લઈને ચર્ચા થઇ શકે છે. જો કે આ મૂળ મુદ્દો નથી, પરંતુ તાજેતરમાં ટીમના શરમજનક પ્રદર્શનને કારણે બોર્ડના કેટલાક સભ્યોમાં ગંભીરના કોચિંગને લઈને અસંતોષ વધી રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માં ઓસ્ટ્રેલિયા સામે 1-3થી મળેલી હારથી ભારતીય ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ગૌતમ ગંભીર માટે સૌથી મોટું સંકટ એ છે કે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના કોચિંગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. જો ભારત આ ટુર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પણ નહીં પહોંચે તો ગંભીરની કોચિંગને લઈને અનેક સવાલો ઊભા થશે. ભારતીય ટીમની તાજેતરની નિષ્ફળતાઓ પાછળનું કારણ ટીમનું સતત ખરાબ ફોર્મ અને મુખ્ય ખેલાડીઓની ઈજા પણ છે. વિરાટ કોહલી અને રોહિત શર્માનું પ્રદર્શન અપેક્ષા કરતાં ઘણું ખરાબ રહ્યું હતું. જ્યારે જસપ્રીત બુમરાહની ઈજાએ ટીમના બોલિંગ આક્રમણને નબળું પડી દીધું છે.