ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) 13થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનાર મહાકુંભને (Mahakumbh 2025) લઈને અનેક આયોજનો થઇ રહ્યા છે. ત્યારે અવિરત ચાલી રહેલી પુણ્યની સરવાણીમાં ગુજરાતના પ્રમુખ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ISKCON સાથે મળીને મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓને ભોજન કરાવશે. અદાણી ગ્રુપ (Adani Group) અને ઇસ્કોન દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લાખો શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ રૂપી ભોજન પામશે. આ મામલે ગૌતમ અદાણીએ ISKCONના ગુરુ પ્રસાદ સ્વામિની મુલાકાત પણ લીધી હતી. તેમણે આને પોતાનું સૌભાગ્ય માન્યું છે. અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ એટલે કે ઇસ્કોન પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ભક્તોને ભોજન પીરસશે. આ ‘મહાપ્રસાદ સેવા ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.