ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મકરસંક્રાંતિના પર્વમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. તો આ દિવસે પવનની ગતિ કેવી રહેશે તે સવાલ પતંગ રસિયાઓને થતો હોય છે તો આ વર્ષે પવન પતંગ રસિયોઓને નિરાશ નહિ કરે પવનની ગતિ સારી રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણનાં દિવસે પવનની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંતે કરેલી આગાહી મુજબ, પતંગરસિયાઓ માટે ઉત્તરાયણનાં દિવસે તેમજ વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ ઉડાવવા મહેનત કરવી પડશે નહી. તેમજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.