જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સંગમ નગરી પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનો આગાઝ થઈ ગયો છે. કુંભને દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મેળો કહેવામાં આવે છે. મહાકુંભનું આયોજન દર 12 વર્ષના અંતર પર હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં થાય છે અને પ્રયાગરાજમાં થવા વાળો કુંભ સૌથી ભવ્ય હોય છે.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની સોમવારના દિવસે ભવ્ય રીતે શરૂઆત થઇ હતી. વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં પવિત્ર ડુબકી લગાવવા માટે સંગમ સ્થળ પર પહોંચવા લાગી ગયા હતા. મહાકુંભની તૈયારીને જોઇને આ વખતે શ્રદ્ધાળુઓ પણ રોમાંચિત થઇ ગયા છે. કાતિલ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં લાખોની સંખ્યાનાં શ્રદ્ધાળુઓ પહોંચવા લાગી ગયા છે. દેશ અને દુનિયાના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાની શરૂઆત 13મી જાન્યુઆરીના દિવસે થયા બાદ હવે 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં અખાડા 14મી 29મી જાન્યુઆરી અને ત્રીજી ફેબ્રુઆરીના દિવસે શાહી સ્નાન કરશે. મહાકુંભનુ આયોજન 4000 હેક્ટર વિસ્તારમાં છે. મેળા ક્ષેત્રમાં કુલ 25 સેક્ટર બનાવવામાં આવ્યા છે.