આર્મી દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં INS સબમરીન વાઘશિર INS ફ્રિગેટ નીલગીરી અને વિનાશીકા INS સુરત ભારતીય નૌકાદળને સમર્પિત કરાયા છે. વિદેશી તાકાતનાં હાજા ગગડાવતી આ સબમરીનો સ્વદેશી છે. 75 ટકા બનાવટ ભારતની છે. તમામ ભારતીયો માટે આ ગૌરવની વાત છે.
77મો ભારતીય સેના દિવસ ભારતીય જવાનો સહીત દરેક ભારતીયો માટે ગૌરવનો દિવસ છે. ભારતીય બનાવટનાં આ યુદ્ધ જહાજો અને સબમરીન માત્ર સમુદ્રમાં ભારતની તાકાત જ નહીં વધારે સમુદ્રમાં ચીન અને નાપાક પાકિસ્તાનનાં તમામ કાવતરાને બેનકાબ કરી નિષ્ફળ કરી દેશે. ભારતીય દુશમનો ભારતની આ સ્વદેશી તાકાત જોઇ લે અને સાથે જ રક્ષા મંત્રાલયનો મીજાજ પણ. ભારતીય રક્ષા મંત્રાલયનાં સહકાર અને છુટ્ટા દોરે વિદેશી દુશમનોનાં દાંત ખાટા કરવા આ શક્તિ સમ્રાટનું નિર્માણ કર્યું છે.