કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીને લઈને મોટી જાહેરાત કરી છે. લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સરકારી કર્માચારીઓ પાસે કુલ 385 ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જેમાં 136 વંદે ભારત, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેન સામેલ છે.
આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં LTC મુસાફરી બુકિંગ માટે સરકારી કર્મચારીઓને વધુ વિકલ્પો મળશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ સ્તરના સરકારી કર્મચારીઓ હવે તેમની LTCનો લાભ લઈને અત્યાધુનિક વંદે ભારત, તેજસ અને હમસફર એક્સપ્રેસમાં મુસાફરી સુવિધાઓનો લાભ લઈ શકશે.