ગુજરાતમાં મહિલાઓને પગભર કરવામાં મહત્ત્વનું યોગદાન આપનાર હીરબાઈ ઇબ્રાહીમ લોબીનું શુક્રવાર, 24 જાન્યુઆરીએ નિધન થયું છે.હીરબાઈ 78 વર્ષનાં હતાં અને તેમનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે.ગીરના જંગલમાં આવેલા જાંબુર ગામમાં જન્મેલા આફ્રિકન મૂળના સિદ્દી જનજાતિ સમુદાયનાં હીરબાઈ લોબીને ભારત સરકારે તેમના સામાજિક કાર્યોને જોતા વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યાં હતાં.પદ્મશ્રી હીરબાઈ બેનનું નિધન થતાં તાલાલા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપી હતી.આ વિસ્તારના સીદી આદિવાસી અને ખાસ કરીને મહિલા અને બાળકોના ઉત્થાન માટે હિરબાઈ બેન લોબીએ અથાગ મહેનત કરી હતી. તેમનું નિધન થતા સમગ્ર સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અભણ હોવા છતાં રેડિયો સાંભળીને હીરબાઈએ બાળપણથી રેડિયો સાંભળીને મહિલા વિકાસ યોજનાઓ વિશે માહિતી એકત્રિત કરતી હતી અને સૌપ્રથમ આગા ખાન ફાઉન્ડેશનમાં જોડાયાં હતાં અને પછી ખેડૂતોના સંગઠન BAIF સાથે જોડાયાં હતાં, અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી.
500 ડૉલરનું પ્રથમ ઈનામ ગામના વિકાસમાં આપી દીધું
હીરબાઈને મળેલું આ પહેલું ઇનામ હતું. એ બધા પૈસા તેમણે ગામના વિકાસમાં લગાવી દીધા હતા.તેમણે 700થી વધુ મહિલાઓ અને સેંકડો બાળકોનાં જીવન બદલવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.હીરબાઈ થોડો સમય રાજકારણમાં રહીને તાલાળા તાલુકા પંચાયતમાં ચૂંટાયાં હતાં અને સામાજિક ન્યાય સમિતિનાં ચૅરપર્સન બન્યાં હતાં.વીમેન્સ વર્લ્ડ સમિટ 2002માં નેધરલૅન્ડ્ઝ તરફથી તેમને 500 ડૉલરનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.