ગાંધી આશ્રમ ની સામેના રસ્તા પર આવેલ આ ‘કલમખુશ’ કેન્દ્ર ની સ્થાપના ૧૯૪૦ માં સરદાર વલ્લભાઈ પટેલ દ્વારા ગાંધી આશ્રમમાં કરવામાં આવી હતી. પહેલા આ કેન્દ્રનું નામ ‘દિલખુશ’ હતું ત્યારબાદ કાકાસાહેબ કાલેલકર દ્રારા ‘કલમખુશ’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૯૫૬ થી આશ્રમની સામેની સાઈડ ચાલું કરવામાં આવ્યું.
“કાગળ કોઈપણ પેનને ખુશ કરશે.” – કા.કાલેલકર
કોટનના કાપડના વેસ્ટ મટીરીયલ ને પાણીમાં પલાળીને ‘પલ્પ’ તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા પલ્પ ને અલગ જગ્યાએ મુકવામાં આવે છે. ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે લઈ જવામાં આવે છે. આ પુરી પ્રક્રિયાને ‘પલ્પ સપ્લાઈંગ’ કહેવામાં આવે છે. તૈયાર થયેલા પલ્પને એક લાકડાની ફ્રેમમાં બે હાથ વડે બધી બાજુ ફેલાવવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર કોટનનાં કાપડ નો મોટો ટુકડો મુકવામાં આવે છે. અને ફ્રેમ ને ઊંધી કરી પાણી ની માત્રા ઓછી કરવા સુકવવવામાં આવે છે. જેને સુકવવા માટે ૨૪ કલાક જેટલો સમય લાગે છે. તૈયાર થયેલા કાગળમાં ખરાબ કાગળ દુર કરી સારા કાગળને પોલિશિંગ માટે મશીનમાં મુકવામાં આવે છે. કારીગરો દરેક શીટ ખુબ કાળજી અને કુશળતાથી બનાવે છે.કાગળના ખૂણાઓ સીધા કરી કાગળને મશીનમાં થોડું થોડું કટિંગ કરવામાં આવે છે. અને વધેલા નાના ટુકડાઓ નો ઉપયોગ રિસાયક્લિંગ માટે થાય છે. રંગીન કાગળ માટે ‘પલ્ડિંગ મશીન’ માં જ કલર નાખી દેવામાં આવે છે. આ પ્રક્રિયા સંપુર્ણ ઈકો-ફ્રેન્કલી છે.
કાગળોમાંથી જેમ કે ફૂલદાની, ડાયરી,ફોટો,આલ્બમ, આમંત્રણ કાર્ડ, પોર્ટફોલિયો, હેન્ડ પર્સ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ કાગળ ૫૦૦ વર્ષ સુધી ટકી રહે છે. આ કાગળ જલ્દી ફાટતો પણ નથી. સરકારી ઓફિસો અને દસ્તાવેજો સાચવવા માટે આ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે.
અહેવાલ : તુષાર ચૌહાણ