ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોએ વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. ઇસરોએ એનવીએસ 02 લોંચ કરવામાં આવતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. 100માં મિશનની સાથે અંતરિક્ષ સંસ્થાએ ઇતિહાસ સર્જયો છે. આ મિશન હેઠળ શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી રોકેટ મારફતે નેવિગેશન ઉપગ્રહ એનવીએસ-2ને સવારે લોંચ કરવામાં આવતા તમામ વૈજ્ઞાનિકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આશરે 20 મિનિટ બાદ આ સેટેલાઇટને પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં સફળતા મળી હતી. ઇસરોના અધ્યક્ષ વી. નારાયણના નેતૃત્વમાં પ્રથમ મિશન છે. નારાયણને 13મી જાન્યુઆરીના દિવસે અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.