અંકલેશ્વરની UPL યુનિવર્સીટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે આ સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર અંકલેશ્વર GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આ સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, એઆરઈએસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડૉ. શ્રીકાંત જે.વાઘ, પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ અને ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ૩૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ સેમીનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.