પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આસ્થાના મહાપર્વ મહાકુંભમાં ભક્તો ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં મહાકુંભમાં 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પહોંચી સંગમમાં ડૂબકી લગાવી છે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરી સુધીમાં 33.61 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે જણાવી દઈએ કે મૌની અમાવસ્યાની રાત્રે નાસભાગની ઘટના બની હતી, જેમાં અત્યાર સુધી 49 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા છે.
નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો
બીજીબાજુ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બનેલી નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. નાસભાગ બાદ મહાકુંભમાં વ્યવસ્થાને લઇને લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ પોતાની યાત્રાને ટાળી દીધી છે. જેની અસર અહીંની હોટલ, રેસ્ટોરેન્ટ સહિત તમામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ગત બે દિવસમાં 25 ટકા શ્રદ્ધાળુઓએ હોટલ બુકિંગ કેન્સલ કરી દીધું છે.