ચેમ્પિયન ટ્રોફી પહેલા ભારતીય ટીમ હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી રમવાની છે. આ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. ફિટનેસના કારણે બીસીસીઆઈએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાંથી બહાર કરી દીધો છે. તેમના સ્થાને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહનું નામ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી હટાવ્યા બાદ ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે કે, તે કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ ન બની શકે. નોંધનીય છે કે, બુમરાહે આ સિરીઝની શરૂઆત પહેલા એક અપડેટ આપ્યું છે, જેમાં વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી અપડેટેડ ટીમમાં બુમરાહનું નામ નથી.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ઘરઆંગણે 5 મેચની T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું છે. હવે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી રમવાની છે.