રામલલા મંદિરમાં દર્શન અને અનુષ્ઠાન વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યાને બદલે સવારે છ વાગ્યે ખુલશે. મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે, ત્યારબાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. અને સવારે છ વાગ્યે શ્રૃંગાર આરતી થશે અને આ જ સમયે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.રાજભોગ બપોરે 12 વાગ્યે પીરસવામાં આવશે અને ભોગ લગાવ્યા પછી પણ ભક્તો દર્શન કરી શકશે. તેમજ સંધ્યા આરતી સાંજે 7 વાગ્યે થશે. આ સમય દરમિયાન મંદિરના દરવાજા 15 મિનિટ માટે બંધ રહેશે ત્યારબાદ તે ખોલવામાં આવશે. એ પછી શયન આરતી રાત્રે 10 વાગ્યે થશે. એ પછી મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.